કહું કેમ તુજને હું કોના સરીખું,
નથી કૈં કદી પણ તુજસમ સરીખું.

ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું,
તારું પ્રગટવું પમરવા સરીખું.

પ્રગટમાં ય છો તું, ન પ્રગટ્યું તેમાં છો,
સપન એક પલનું સભરતા સરીખું.

બહુ પુષ્પ શાખા, પરણહીન ડાળી,
બધે મ્હેંક પુષ્કળ, બધે શુષ્ક સરીખું.

પ્રભાતે નૂતન છો, ને સાંજે નમેલું,
રાતે અગોચર અનાગત સરીખું.

Total Views: 67
By Published On: April 29, 2022Categories: Shailesh Tevani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram