ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં તરસ્યો છે તે ક્યારેય જળના ગુણ અને સ્વભાવનું સૈદ્ધાંતિક વિવેચન કરવાનું નહિ ઈચ્છે, પરંતુ એ તો જળ શોધીને પોતાની તરસ છિપાવશે. દરેક ભક્ત કે સાધક શરૂઆતથી જ ધર્મ માટે કોઈ ને કોઈ ધારણા(માન્યતા) રાખતો(ધરાવતો) હોય છે, જે સાધનાની પરિપક્વતાની સાથે-સાથે વધુ સ્પષ્ટ અને પ્રબળ થતી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૌતિક જીવન સુખ આપનારું નથી. આપણો રોજનો અનુભવ બતાવે છે કે આપણું જીવન ઘણા બધા દુઃખોનું ઘર છે. તેવું જ્ઞાન અને શાશ્વત વસ્તુની ખોજથી જ આધ્યાત્મિક જીવનનો સૂર્યોદય થાય છે.

Total Views: 99
By Published On: June 18, 2022Categories: Krishnasakhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram